ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,999 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 34 હજારની નજીક
છેલ્લા 24 કલાકમાં નોઁધાયા 681 નવા કેસ
અત્યાર સુધીમાં 1,888 દર્દીઓના સારવાર દરમિયાન થયાં મોત
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,601 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,888 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 227 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 191 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,030 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,339 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 147 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,238 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,456 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં
3631એક્ટિવ કેસ છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત