કોર્ટ પર નિવેદન આપીને અવમાનના કેસમાં ફસાયેલા યતિન ઓઝાને ફરીવાર હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સુઓમોટો કેસમાં યતિન ઓઝાએ કરેલ માફીની અરજીને અસ્વીકાર કરી.
ગુજરાત હાઈકોર્ટની અવમાનના કેસમાં ફસાયા છે યતિન ઓઝા
SC સમક્ષ બિનશરતી માફીની તૈયારી દર્શાવ્યા બાદ કોર્ટે હાઈકોર્ટે જવાનું સૂચવ્યું હતું
ગુજરાત હાઈકોર્ટ યતિન ઓઝાની માફીથી સંતુષ્ટ ન થતાં ઓઝાને જોરદાર ઝટકો
કોર્ટ માફીથી સંતુષ્ટ ન થઇ
ગુજરાત હાઈકોર્ટે બુધવારે ચુકાદો આપ્યો કે તે GHCAAના પ્રેસિડેન્ટ યતિન ઓઝાની બિનશરતી માફીથી સંતુષ્ટ નથી, ઓઝા વિરુદ્ધ શરુ કરવામાં આવેલ કન્ટેમ્પ્ટ કેસમાં તેમણે માફીની ઓફર કરી હતી.
શું છે મામલો : કોર્ટની અવમાનના કેસમાં યતિન ઓઝા પાસેથી સિનીયર એડવોકેટનું પદ છીનવ્યું હતું
નોંધનીય છે કે કોર્ટની અવમાનના કેસમાં કોર્ટે યતિન ઓઝા પાસેથી સિનીયર એડવોકેટનું પદ છીનવી લીધું હતું જે બાદ ઓઝાએ બિનશરતી માફીની સાથે કોર્ટને ફરીથી વિચાર કરવા અરજી કરી હતી. યતિન ઓઝાએ એક ઓનલાઈન ઈન્ટરવ્યુમાં કોર્ટ રજીસ્ટ્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા જે બાદ કોર્ટે સુઓમોટો કન્ટેમ્પ્ટ કેસ દાખલ કર્યો છે.
સુઓમોટો કેસ દાખલ થતાં સર્વોચ્ચ અદાલતનો દરવાજો પણ ખખડાવ્યો
યતિન ઓઝાનાં નિવેદન બાદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ઓઝા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જોકે સર્વોચ્ચ અદાલતે આ મામલે દખલ કરવાની નાં પાડી અને ઓઝાને હાઈકોર્ટમાં જવા જ સૂચન કર્યું હતું.
કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગવા તૈયાર થયા હતા યતિન ઓઝા પણ ઝટકો
જોકે હવે હાઈકોર્ટમાં બેંચના જસ્ટીસ સોનિયા ગોકાણી અને NV અંજારિયાએ યતિન ઓઝાની માફી ફગાવી દીધી છે અને ઓઝાને કન્ટેમ્પ્ટ કેસમાંથી ડીસ્ચાર્જ કરવાની માંગને પણ રદિયો આપવામાં આવ્યો છે. કોર્ટે સુનાવણી બાદ કહ્યું કે અમે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ માફીનામાની વાસ્તવિકતા ના તો સંતુષ્ટ છીએ અને માફીનામાની પ્રકૃતિ પ્રત્યે આશ્વસ્ત પણ ન હોવાથી માફીનો અસ્વીકારવાનું નક્કી કર્યું છે.