રાજ્યસભાના ભાજપના બે સાંસદોની ચૂંટણીને પડકરાતી અરજીને HCએ ફગાવી છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસના નેતાએ પડકારી હતી. બે બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો.
એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસ નેતાએ પડકારી હતી
ચૂંટણીપંચ બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામુ 2009થી બહાર પાડે છે
જૂન 2019માં ભાજપે બે બેઠકો પરથી જયશંકર અને જુગલજીને રાજ્યસભા મોકલ્યા હતા. એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસ નેતાએ પડકારી હતી. બે બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો.
શું કહ્યુ હાઈકોર્ટે
આ મામલે હાર્કોર્ટે જયશંકરના વકીલની બચાવની દલીલો માન્ય રાખી હતી અને આ સાંસદોની ચૂંટણીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી હતી. 3 ઇલેક્શન પિટીશન ગુજ. હાઈકોર્ટે ફગાવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન ફગાવી દીધી છે. આમ હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીત પર મહોર મારી દીધી છે.
શું હતી બચાવપક્ષની દલિલ
બચાવમાં જયશંકરને 2009થી આ પ્રક્રિયા અનુસરાતી હોવાનું કહ્યું હતું. ચૂંટણીપંચ બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામુ 2009થી બહાર પાડે છે. જયશંકરના વકીલની બચાવની દલીલો માન્ય રહેતા અરજી હાઈકોર્ટે ફગાવી છે.
કોણે પડકારી હતી ચૂંટણીને?
જયશંકરની ચૂંટણીને ગૌરવ પંડ્યા અને જુગલજીની ચૂંટણીને ચંદ્રીકા ચૂડાસમાએ પડકારી હતી. જૂન 2019માં ભાજપે બે બેઠકો પરથી જયશંકર અને જુગલજીને રાજ્યસભા મોકલ્યા હતા.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી જગ્યા પર બે સાંસદોની વરણી
અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ આપેલા રાજીનામાથી ખાલી પડેલી બન્ને બેઠકો પર ચૂંટણી પંચે એક પછી એક એમ અલગ અલગ જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે પંચ ભાજપને ચૂંટણી જીતાડવા માટે તમામ હથકંડા અજમાવી રહ્યું છે. તેમજ આ મામલે કોંગ્રેસ પાર્ટી ત્યારે પણ સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. તેમજ સુપ્રિમ કોર્ટે પણ આ મામલે કોંગ્રેસની અરજી ફગાવી ચૂંટણી પંચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની છેલ્લી બે ચૂંટણીઓ વિવાદીત રહી છે. હાઈકોર્ટે જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ જયશંકર સામે થયેલી અરજીઓ ફગાવી દેતાં આ બંને ઉમેદવારો માથેથી ઘાત ટળી ગઈ છે.