આજનો દિવસ એટલે દાન દક્ષિણાનો દિવસ. આજે ગુરુપુર્ણિમા છે અને આજના દિવસે લોકો જે વ્યક્તિને પોતાના ગુરુ માનતા હોય તેમને દાન આપે છે.
અમરેલીમાં અનોખી ગુરુ દક્ષિણા
પટેલ પરિવારે દીકરો કર્યો દાન
7 વર્ષના દીકરાને માનવ મંદિરમાં કર્યો દાન
વર્ષો પહેલા બાળકો શિક્ષા પ્રાપ્ત કરે ત્યાર બાદ ગુરુને દક્ષિણા આપતા હતા. ગુરુદ્રોણ અને એકલવ્ય અંગે પણ તમે સૌ જાણતા જ હશો. એકલવ્યએ ગુરુ દ્રોણને પોતાનો અંગુઠો કાપીને દક્ષિણા આપી હતી. એ તો હતી સતયુગની વાત. પણ આજના જમાનામાં પણ કેટલાક એવા લોકો પડ્યા છે જે ગુરુને દક્ષિણ આપવામાં પાછા નથી પડતા.
પોતાનો દીકરો દાનમાં આપી દીધો
અમરેલીના સાવરકુંડલામાં માનવ મંદિર આવેલું છે. જ્યાં મધ્યપ્રદેશના પટેલ પરિવારે પોતાનો દીકરો દાનમાં આપી દીધો છે. માનવ મંદિર નિરાધાર લોકોને સારવાર આપે છે. આ પરિવારે પોતાનો દીકરો ભક્તિ બાપુને ગુરુ દક્ષિણામાં આપ્યો છે.
ગુરુની સેવા માટે દીકરાનું દાન કર્યું
ગુરુની સેવા માટે દીકરાનું દાન કર્યું છે. બાપુએ પણ 7 વર્ષના સોહમના અભ્યાસની જવાબદારી સ્વીકારી છે.. એટલે કે આજે પણ ગુરુ દક્ષિણાનું એટલું જ મહત્વ છે જે વર્ષો પહેલા હતું.