રાજ્યમાં હવે બસના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. બસમાં 75 ટકા જેટલા લોકો બેસાડી શકાશે. એટલે કે 60 બેઠક વાળી બસમાં હવે 45 લોકો બેસાડી શકાશે. અન્ય વાહનોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.
બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે
પ્રાઈવેટ વાહનમાં 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો
ગુજરાતમાં વાહનવ્યવહારને લઈને અનલોક 5માં છુટછાટ વધારવામાં આવી છે. પ્રાઈવેટ વાહનો અને સરકારી વાહનોમાં પણ પહેલા કરતા નિયમોમાં ઢીલ મૂકવામાં આવી છે.
રાજ્યમાં બસસેવા આધારિત સેવાઓમાં છૂટ છાટ
GSRTC એટલે કે એસટી બસ, સિટી બસ, પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે. વળી મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્ રહેશે.
રિક્ષા સવારી માટે ગાઈડલાઈન
ગુજરાતમાં રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. તેવી છુટછાટ આપવામાં આવી છે.
6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો
કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને ફેસ કવર બેસાડી શકાશે. પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને ફેસ કવર સાથે બેસાડી શકાશે. ટૂ-વ્હીલરમાં 2 લોકો જ ફેસ કવર સાથે સવારી કરી શકશે.