બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ચણા અને રાયડાની ટેકાના ભાવે આ તારીખથી કરાશે ખરીદી
Last Updated: 09:37 PM, 17 April 2025
ગુજરાતમાં આગામી તા.21મી એપ્રિલથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પી.એમ. આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
ચણા અને રાયડાની ટેકાના ભાવે આ તારીખથી કરાશે ખરીદી
ADVERTISEMENT
ચણા અને રાયડાની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારત સરકારે વર્ષ 2024-25ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ.5,650 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,130 પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ.5,950 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1,190 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. જેથી રાજ્યના ખેડૂતોએ ચણા અને રાયડાનું નિશ્ચિંત થઈને પુષ્કળ વાવેતર કર્યું હતું. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો ટ્રેનના મુસાફરો માટે કામના સમાચાર, શનિવારે આ રૂટ પર બંધ રહેશે મેટ્રો સર્વિસ
રાયડા માટે 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરાશે
નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ.1,903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. 767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે, તેમ મંત્રી ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.