ગુજરાતમાં ખેડૂતોની માઠી બેઠી છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને નુકસાની જ સહન કરવી પડી રહી છે. ગયા વર્ષે પાછોતરા વરસાદે હેરાન કર્યા હતા એ પછી આ વર્ષેની શરૂઆતે કોરોનાને કારણે લોકડાઉનમાં મુશ્કેલી સર્જાઈ અને આ ચોમાસે બેઠો પાક ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયો છે ત્યારે સરકારે નુકસાનીનું વળતર ચુકવવાની તો વાત કરી પરંતુ 15 દિવસ બાદ પણ હજુ સુધી 15 જેટલા જિલ્લામાં તો નુકસાનીના સર્વે કરવાના શ્રી ગણેશ પણ નથી થયા. ત્યારે જગતના તાતનું કોણ?
મગફળીના પાકમાં પાન પીળા હોય તો જ સર્વે થાય છે
પાક તણાઈ ગયો હોય તો નથી થતો સર્વે
પાકના મૂળ નાશ પામ્યા હોય તો પણ નથી થતો સર્વે
મગફળીના પાકમાં પાન પીળા હોય તો જ સર્વે થાય
રાજ્યમાં ભારે વરસાદના કારણે પાકને મોટુ નુકસાન થયું છે. જેને લઇને પાક નુકસાનીના સર્વેની કામગારી હાથ ધરવામાં આવી છે. પરંતુ પાક નુકસાની સર્વેમાં ગંભીર ખામીઓ સામે આવી છે. પાક સર્વેના નિયમોને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે મગફળીના પાકમાં પાન પીળા હોય તો જ સર્વે થાય છે. પાક તણાઈ ગયો હોય તો સર્વે કરવામાં આવતો નથી. પાકના મૂળ નાશ પામ્યા હોય તો પણ સર્વે થતો નથી. રાજ્ય સરકારે ગ્રામ સેવકને સર્વેની કામગીરી સોંપી છે. પરંતુ ગ્રામ સેવકની સંખ્યા ઓછી હોવાથી સર્વેમાં ગડબડી થઇ રહી છે.
2 હેકટર સુધી નુકસાનનું વળતર આપવાની જાહેરાત
ગ્રામ સેવકો ખેતરમાં જવાનું ટાળી એક જ સ્થળેથી સર્વે કરી રહ્યાં છે. પાક નુકસાની સર્વેના મેન્યુઅલ ફોર્મ પણ ઉપલબ્ધ નથી. જાહેરાતના 14 દિવસ છતાં સર્વે કામગીરી પૂર્ણ ન થઈ નથી. 15થી વધુ જિલ્લામાં હજી સર્વે કામગીરી શરૂ પણ થઈ નથી. 2 હેકટર સુધી નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરાઈ હતી. એમાંય હેક્ટરદિઠ માત્ર 13,500ની જ સહાય ચુકવવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય કે ખરેખર નુકસાની જેટલું વળતર મળશે ખરૂં.