સરકારી કર્મચારીઓ માટે નાગરિકતા સંશોધન એક્ટને લઈને મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારી માટે CAAને લઈને મહત્વની સૂચના
સોશિયલ મીડિયા પર ટિપ્પણી ન કરવા સૂચના અપાઈ
કર્મચારીઓને સરકારની ટીકાઓથી દૂર રહેવા તાકીદ કરાઈ
સરકારી કર્મચારીઓને નાગરિકતા સંસોધન એકટ્ને લઈને દૂર રહેવાની સૂચના અપાઈ છે. કર્મચારીઓને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન કરવાની સૂચના અપાઈ છે. સાથે જ કર્મચારીઓને સરકારની ટીકાઓથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે. આ મામલે જો કોઈ કર્મચારી પકડાશે તો તેની સામે સિવિલ સર્વિસીસ રૂલ્સ ભંગ હેઠળ પગલા લેવાશે.
RTO અને તેમના કર્મચારીઓ માટે પરિપત્ર જાહેર કર્યો
આ અંગે RTO અને તેમના કર્મચારીઓ માટે તો રીતસર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને તેમ છતાં જો કોઈ સોશિયલ મીડિયામાં આ અગે ટીપ્પણી કરશે તો તેમના ઉપર કાયદેસરના પગલા લેવાશે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે.