સચિવાલયના ક્લાસ 1 કુલ 84 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે.
આ આદેશમાં અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાન વિભાગમાં મુકાયા છે. જયારે બી.એન.એરડાની નર્મદા નિગમમાં બદલી કરાઈ છે. આર.એમ.છત્રપતિની સ્પીપા અમદાવાદમાં બદલી કરાઈ છે. વી.ટી.મંડોરાની પાણી પૂરવઠામાં બદલી કરાઈ છે. ડી.બી.પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે.
એમ.ડી.શાહની ઉદ્યોગ અને ખાણવિભાગમાં બદલી કરાઈ છે. એ.એન.મનસુરીની મહેસૂલ વિભાગમાં બદલી કરાઈ છે. એમ.એચ.ખુમારની રમતગમત, યુવા-સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરાઈ છે. ભરત વૈષ્ણવની ગૃહ વિભાગમાં બદલી કરાઈ છે. એચ.બી.મારડીયાની પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરાઈ છે.
આ 84 અધિકારીઓ પૈકી 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જયારે 60 ઉપ સચિવ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી કરીને તેમની બદલી કરવામાં આવી છે.