TET અને TATના ઉમેદવારો માટે સારા સમાચાર છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ 12 હજાર 344 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
TET અને TATના ઉમેદવારો માટે મહત્વના સમાચાર
શિક્ષણમંત્રીએ કરી મહત્વની જાહેરાત
12,344 વિદ્યા સહાયકોની કરાશે ભરતી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, દિવાળી બાદ તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. જેના ભાગરૂપે પ્રાથમિક વિભાગમાં 3 હજાર વિદ્યા સહાયકોની ભરતી કરાશે. જ્યારે માધ્યમિક વિભાગમાં 7 હજાર 518 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
નોંધનીય છે કે, ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં જ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા એક બાદ એક નિર્ણય લેવાની શરૂઆત કરી છે ત્યારે વિદ્યા સહાયકોની ભરતી અંગેનો નિર્ણય રાજ્ય સરકારનો મહત્વનો છે.
TET અને TATના ઉમેદવારોમાં ખુશીનું વાતાવરણ
એક તરફ વિપક્ષ દ્વારા બેરોજગારીની વાતને વારંવાર ઉછાળવામાં આવી રહી છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક સાથે 12 હજાર 344 વિદ્યા સહાયકોની ભરતી કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવતા TET અને TATના ઉમેદવારોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.