કોરોનામાં થયું તે હવે મ્યુકર્માઈકોસીસનામાં ન થવું જોઈએ
હાઈકોર્ટ સરકાર વિરૂદ્ધ કર્યો સુઓમોટો
મ્યુકર્માઈકોસીસના ઈન્જેક્સનો વહિવટ રાજ્ય સરકાર પોતાની પાસે રાખી લીધો છે. પહેલા ખાનગી હોસ્પિટલો પણ તેનું વેચાણ કરતી હતી પરંતુ કાળાબજારી અને દર્દીઓને ઉચા ભાવે ઈન્જેક્શનો વેચવામાં આવતા હતા માટે સરકાર તેમાં વચ્ચે પડી અને બધો વહીવટ પોતાની પાસે લઈ લીધો. હવે વહીવટ લઈ તો લીધો પણ હવે ઈન્જેક્શન મળવા વધુ મુશ્કેલ બની ગયા છે. સરકારે કાળાબજારી રોકવા માટે આ પગલું તો ભર્યુ પણ તેનું પરિણામ કંઈ ન આવ્યું. ઉપરથી હાલ દર્દીઓને આ ઈન્જેક્શન લેવા માટે કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહેવું પડે છે. એક જ દર્દીને મ્યુકર્માઈકોસીસના આવા ઈન્જેક્શનો ઢગલાંબંધ આપવામાં આવે છે.
હાઈકોર્ટે કર્યો સુઓમોટો
રાજ્યમાં ઈન્જેક્શનને લઈને આવી પરિસ્થિતિની ફરિયાદ કોઈએ ન કરતા છેલ્લે હાઈકોર્ટે જ તેના વિરૂદ્ધ સુઓમોટો કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે મ્યુકર્માઈકોસીસના ઇન્જેકશન અંગે સ્ટેન્ડ ક્લીઅયર કરવા સરકારને આદેશ આપ્યો છે. સાથે જ સરકારને આડે હાથ લેતા કોરોનાની ત્રીજી લહેર પર સરકાર પોતાની તૈયારીનો રિપોર્ટ સોંપે તેવા પણ આદેશ આપ્યા છે. હાઈકોર્ટે સરકારને જણાવ્યું કે એક્સપર્ટને આધારે ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ કરી દે અને ઈન્જેક્શનની અછત દૂર કરવા માટે યોગ્ય પગલાં ભરે.
મ્યુકર્માઈકોસીસના કેસોમાં વધારો ગંભીર બાબત
મ્યુકર્માઈકોસીસના કેસો વધી રહ્યા છે એક ગંભીર બાબત છે. માટે કોરોનામાં જે રીતે ઉણપ રહી ગઈ તેમ હવે આયોજનામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેવો હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ગામડાઓમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. માટે હવે મ્યુકર્માઈકોસીસના કેસ ન વધે તે માટે ગ્રામ્ય વિસ્તમાં મેડીકલ માળખું યોગ્ય બનવવા આદેશ કરવામાં આવ્યો છે.