તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમારની કેસની તપાસ માટે ગુજરાત સરકારે કર્યું SITનું ગઠન
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમાર સામે તપાસ બેઠી
ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન
DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં થશે તપાસ
નકલી દસ્તાવેજો આધારે ષડયંત્રથી પ્રોસિંડિંગ ચલાવવાનો છે આરોપ
ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ 2002ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ IPS સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gujarat | An SIT consisting of four members including ATS DIG Deepan Bhadran constituted to investigate Teesta Setalvad case
તિસ્તા સેતલવાડ કેસની SIT કરશે તપાસ
ત્યારે તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આર બી કુમારની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક,ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થશે. મહત્વનું છે કે નકલી દસ્તાવેજો આધારે ષડયંત્રથી પ્રોસિંડિંગ ચલાવવા આરોપ તિસ્તા સેતલવાડ પર લાગ્યો છે. જેની તપાસ અને તથ્ય આ SIT કમિટી બહાર લાવશે.
તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમમાં કોણ?
DIG, ATS દીપન ભદ્રન ( અધ્યક્ષ)
DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક
ATS SP સુનીલ જોશી
ASP બી.સી સોલંકી
સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા
મહત્વનું છે કે, 2002ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.
ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો તિસ્તાનો ઉદ્દેશ-DCP, ક્રાઈમ બ્રાન્ચ
તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમબ્રાન્ચે નિવેદન આપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના DCPએ જણાવ્યું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજો બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો. જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, PI દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે. ઉપરાંત ટાન્સફર વોરંટથી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવશે. તિસ્તા સેતલવાડ કોઈ ફરિયાદ હોય તો તે મેજિસ્ટ્રેટ સામે કરી શકે છે.
જુઓ તિસ્તા સેતલવાડ સામે શું છે આરોપ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું
આર.બી.શ્રીકુમાર પર આરોપ શું?
નાણાવટી-શાહ કમિશન સમક્ષ નવ એફિડેવિટ ફાઈલ કર્યા હતા
મોટાભાગની એફિડેવિટ જાકિયા જાફરીની ફરિયાદના આધારે કરાઈ હતી
એફિડેવિટમાં તેમણે રજૂ કરેલી કોઈ પણ વિગત અંગત રીતે પ્રાપ્ત નહોતી કરી
એફિટેવિટની માહિતી હોદ્દાની રૂએ પ્રાપ્ત કરી હતી
શ્રીકુમારે ત્રીજી એફિડેવિટથી રાજ્ય સરકાર સામે આરોપ મૂક્વા શરૂ કર્યા હતા
શ્રીકુમારે SITને જણાવ્યું હતું કે, તેમને ઘણા મૌખિક આદેશો મળ્યા હતા
શ્રીકુમારના કરેલા દાવા ઘણા આદેશો ગેરકાનૂની અને ભારતના બંધારણની ભાવના વિરુદ્ધ હતા
શ્રીકુમારે 16-04-2002થી 19-09-2002 સુધીની મૌખિક સૂચનાઓ નોંધવાના રજિસ્ટરમાં ચેડા કર્યા હતા
શ્રીકુમારને તત્કાલિન IGP ઓ.પી.માથુર દ્વારા આ રજિસ્ટર આપવામાં આવ્યું હતું
સંજીવ ભટ્ટ પર આરોપ શું?
27-02-2002ના રોજ તત્કાલિન CMના નિવાસે બેઠકમાં સામેલ હોવાનો કર્યો હતો દાવો
સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ ન હોવા છતા કર્યો હતો ખોટો દાવો
20-12-2011ના રોજ જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા કમિશનને કર્યો હતો ફેક્સ
SIT પાસેના રેકોર્ડ પર આ ફેક્સ મેસેજ ઉપજાવી કાઢેલાનું પૂરવાર થયું
ભટ્ટે બદઈરાદાયુક્ત બનાવટી અને ચેડા કરેલો ફેક્સ કર્યો હતો
કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાનો આરોપ