ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યાના થોડાક કલાક બાદ રાજ્યની સરકારે મંગળવારે કહ્યું કે કોઇ કાયદાકીય અડચણ ના આવે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઇચ્છા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં સંવાદદાતોઓને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમદાવાદનું નામ બદલવાની તૈયારીમાં છે જો એ કાયદાકીય અડચણને પાર કરી લે છે અને જરૂરી સમર્થન પ્રાપ્ત કરી લે.
વધુમાં તેમને જણાવ્યું કે લોકોમાં હજુ પણ એવી ભાવના છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરી દેવું જોઇએ. કાયદાકીય અડચણ પાર કરવામાં જો અમને જરૂરી સમર્થન મળે છે તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છે.
અમદાવાદના ઇતિહાસ પર નજર નાંખીએ તો લોકોની રહેવાની શરૂઆત 11મી સદીમાં થઇ હતી એવું અનુમાન છે. અંહિલવાડા જેનું નામ હવે પાટણ છે પરંતુ ચાલુક્ય વંશના શાસનકાળમાં રાજા કર્ણએ અશાવલના ભીલ રાજા પર હુમલો કરીને આ ક્ષેત્ર પર કબ્જો કરી લીધો હતો. ત્યારબાદ એમને સાબરમતી નદીના કિનારા પર કર્ણાવતી નામથી શહેર વસાયું.
તો સન 1411માં સુલતાન અહમદ શાહે કર્ણાવતીની નજીક એક નવા શહેરનો પાયો નાંખ્યો. ત્યારબાદ શહેરનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું.