બનાસકાંઠા: સરકાર દ્વારા અપાતુ દૂધ રસ્તા પર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. થરાદ પાસે પસાર થતી મુખ્ય કેનાલ પર કોઈએ આ દૂધ ફેંકી દીધુ હતું. આંગણવાડી અને સ્કૂલોના બાળકોને આ દૂધ સરકાર દ્વારા આપવામાં આવે છે.
બાળકોમાં કુપોષણની ખામીઓ દૂર કરવા આ દૂધ આપવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા અપાતા દૂધ પર પ્રશ્નો ઉભા થયા છે કે શું ખરેખર દૂધ પીવાલાયક નથી કે પછી અન્ય કારણોસર દૂધને ફેંકી દેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે બનાસકાંઠામાં સરકારી દૂધ બાળકને કેમ નથી અપાયું? કોણ છે બાળકોના દૂશ્મન? બાળકોના પેટમાં જવાનું હતું તે દૂધ રસ્તા પર કેમ? કોણે રસ્તે ફેંક્યુ છે દૂધ? સરકારી દૂધ બહાર કઇ રીતે પહોંચ્યું?
સરકારી દૂધના જથ્થાનું બહાર વેચાણ તો નથી થતુ ને? દૂધમાં છે ભ્રષ્ટાચારની ભેળસેળ? કેમ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી દૂધની તપાસ? આંગણવાડી અને સ્કૂલોના કુપોષિત બાળકોને કેમ ન અપાયું દૂધ?