સમગ્ર દેશમાં જળશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જળસંચય મુદ્દે CMની પ્રતિક્રિયા આપી છે. તેમણે PMના મન કી બાત કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે જળસંચય અભિયાનના જન આંદોલનની વાત કરી છે.
જળસંચય મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, PM મોદીએ મન કી બાતમાં જળ સંચયની વાત કરી છે. જળસંચયના કાર્યક્રમ જન આંદોલન બને તેવી અપીલ કરી હતી. સાથે પાણીનો સદ્ ઉપયોગ થાય. જળ સંચયના કાર્યક્રમ જન-જન સુધી પહોંચાડીશું.
મહત્વનું છે કે જળસંચય મુદ્દે સીએમઓ ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર અમિતાભ બચ્ચનનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે જળસંકટથી બચવા જળસંગ્રહ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી જળશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દેશના કુલ 257 જિલ્લાઓમાં જળશક્તિ અભિયાન યોજાશે. જેમાં 257 જિલ્લાઓને 1592 બ્લોક્સમાં વહેંચવામાં આવશે. અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ સમતળ થાય તેવા સ્થળોની પસંદગી કરવામાં આવશે.
ત્યારે ગુજરાતમાં પાંચ જિલ્લાઓમાં જળશક્તિ અભિયાન યોજાશે. ગુજરાતના આ પાંચ જિલ્લાઓમાં કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત ગુજરાતના પાંચ જિલ્લાઓની ૩૦ બ્લોક્સમાં વહેંચણી કરાઈ છે. તો અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ અને જળ સંચયના કામો થશે.
સરકાર દ્વારા જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વીટીવી ડિઝિટલ દ્વારા પાણીની તંગી ન સર્જાય એ માટે ગુજરાતીઓ શું કરી શકે તેના માટે એક પ્રયાસ કર્યો છે.