ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં અનલૉક બાદ સતત વધારો જોવા મળી રહ્યો છે. જન જીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થતાંની સાથે જ લોકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને અવગણી રહ્યા છે અને કોઇપણ બીક વગર ફરી રહ્યા છે ત્યારે કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરી છે.
કોરોનાને લઇ હાઇકોર્ટની રાજ્ય સરકારને ટકોર
બહારથી આવતા લોકોને અટકાવવમાં આવે
માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, હાઇકોર્ટે જણાવ્યુ હતું કે બહારથી આવતા લોકોને અટકાવવમાં આવે. માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે. કોઈ નારાજ થાય તેની ચિંતા સરકારે કરવાની જરૂર નથી.
હાઇકોર્ટની ટકોર, માસ્ક નહીં પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારો
કોરોનાને લઇને હાઇકોર્ટમાં સુઓમુટો અરજીનો મામલોઃ રાજ્ય સરકારને હાઇકોર્ટની ટકોર, બહારથી આવતા લોકોને અટકાવવામાં આવે, માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે, કોઈ નારાજ થાય તેની ચિંતા સરકારે કરવાની જરૂર નથીઃ હાઇકોર્ટ#Coronavirus#gujarathighcourt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 24, 2020
આપને જણાવી દઇએ કે, 13 જુલાઈના રોજ અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડની રકમ 200થી વધારી 500 કરવામાં આવી છે, જ્યારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા પાસેથી રૂ. 200ને બદલે રૂ.500 દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં નાગરિકોની બેદરકારીને જોતા હાઇકોર્ટે સરકારે ટકરો કરી હતી હતી કે, કોઈ નારાજ થાય તેની ચિંતા સરકાર ન કરે અને માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને 1000 સુધીનો દંડ ફટકારે
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કાળા બજારીને લઇને પણ હાઇકોર્ટે સરકારને કરી ટકોર
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર માટે અપાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની થઇ રહેલી કાળા બજારી પર રોક લાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે આ મામલે કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, કૌભાંડીઓ સામે કડક પ્રકારે કાર્યવાહી કરવા આવે. સરકારની ટેસ્ટ નીતિ સામે કોર્ટમાં અરજદારે વિરોધ કર્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ ટેસ્ટ થવા જોઇએ. જેણે ટેસ્ટ કરાવવો હોય તેને કરવાની છૂટ મળવી જોઈએ.