ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં કોરોના વાયરસ મુદ્દે સુઓમોટો કેસ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યની રૂપાણી સરકારે ગઇકાલે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો.
રાજ્ય સરકારે HCમાં રજુ કર્યું એફિડેવિટ
રાજ્ય સરકારે કરેલી કામગીરીઓનો એફિડેવિટમાં ઉલ્લેખ
ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે
HCમાં કોરોના પર સુઓમોટો અરજી મામલો
આજે ગુજરાત HCમાં કોરોના પર સુઓમોટો અરજી મામલે સુનાવણી કરવામાં આવશે. સવારે 11 વાગ્યે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગઈકાલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં સરકારે કોરોના અંગે કામગીરી તેજ કર્યાનો દાવો કર્યો હતું.
કોરોના અંગે કામગીરી તેજ કર્યાનો સરકારનો દાવો
રાજ્ય સરકારે સોગંધનામુ રજૂ કરતા સરકારે કરેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે, ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે. આ ઉપરાંત RTPCR ટેસ્ટિંગ વધારી દેવાયાનો પણ સરકારે દાવો કર્યો હતો.
"ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ"
સરકારે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 108 વગર પણ ખાનગી વ્હીકલમાં પણ દર્દીઓએ એડમિટ કરી રહ્યા છે આધારકાર્ડ વગર દર્દીઓની સારવાર થઇ રહી હોવાનો પણ સરકારે દાવો કર્યો. સરકારે કહ્યું હતું કે, વેક્સિનેશન પર ભાર મુકાયો છે. વધુ 4 જગ્યા પર RTPCR ટેસ્ટિંગ ડ્રાઇવ શરુ કરાશે. ઓક્સિજન મુદ્દે સરકારે કહ્યું હતું કે, ઓક્સિજનની અછત દૂર કરવા ક્ષમતા વધારી છે. વેબ પોર્ટલમાં શહેર-ગામડાના કેસોની વિગતો મુકાઈ રહી છે. સરકાર હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતી હોવાનું પણ એફિડેવિટમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકારનું એફિડેવિટ :
કોરોના અંગે કામગીરી તેજ કર્યાનો સરકારનો દાવો
"ખાનગી-સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકાઈ રહી છે"