ગાંધીનગર: રિડેવલોપમેન્ટ મુદ્દે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઓઢવ દૂર્ઘટના પરથી બોધ લઈને રાજ્યસરકારે રિડેવલોપમેન્ટ પોલીસીને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
મળતી માહિતી અનુસાર નવી પોલીસી મુજબ જૂની સોસાયટીઓનું રિડેવલોપમેન્ટ સરળ બનશે. જોકે 77 ટકા મકાન ધારોકોની સમંતી બાદ રિડેવલોપમેન્ટ શક્ય બનશે. જો કે 25 વર્ષની મર્યાદા પૂર્ણ થયા બાદ મકાનોનું રિડેવલોપમેન્ટ થઈ શકશે. સરકારના આ નિર્ણયથી બિલ્ડર સહિત નાગરીકોને પણ સીધો લાભ થશે. રહેવાસીઓ અને બિલ્ડરોને પણ ફાયદો થઈ શકે છે.
રહેવાસીઓની વાત કરીએ તો મકાનોની કિંમતમાં અંશત જ ઘટાડો થશે પણ પોશ ગણાતા વિસ્તારો જયાં જગ્યાના અભાવે હાલ વિકાસ શકય નથી ત્યાં જૂના મકાનો સામે બમણા મકાન બનતાં વધુ આવાસ ઉપલબ્ધ થશે. પ્રતિવર્ષ ઘર રિપેરિંગ પાછળ થતાં ખર્ચમાંથી મુક્તિ મળશે. જૂનામાંથી નવા બનેલા મકાનની વેલ્યુ વધશે. મકાનની અંદરનો એરિયા પણ વધશે. તો બિલ્ડરોને રિડેવલપમેન્ટમાં વધુ વિવાદો અટકશે જેના કારણે સ્કીમ વહેલી શરૂ થઈ જશે.
હાલ અમદાવાદના કોટ વિસ્તાર સહિત એસજી રોડની અંદરના વિસ્તારોમાં નવાં બાંધકામો માટે જગ્યા નહોતી તેના બદલે વધુ સ્પેસ મળશે. અત્યારે જે સોસાયટીમાં રિડેવલપમેન્ટ સ્કીમ અટકી છે. તેનો ત્વરિત નિકાલ થઈ જશે.