રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક સરસ જાહેરાત કરવામાં આવી છે. ખાદીના વેચાણમાં 20 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ડિસકાઉન્ટ 5 ઑક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ચાલું રહેશે.
ખાદી વસ્ત્રો પર 20 % ડિસ્કાઉન્ટની જાહેરાત
CM રૂપાણી દ્વારા કરવામાં આવી જાહેરાત
5થી 31 ઓક્ટોબર પર ખાદી વસ્ત્રો પર 20% ડીસ્કાઉન્ટ
CM રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદે એ માટે આ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના ઉત્કર્ષ માટે
ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા લઘુ ઉદ્યોગો થકી આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે.
5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20 ટકા વળતર
જાહેરાત પ્રમાણે રાજ્યમાં કોઈ પણ ખાદી ભંડાળમાં 5 ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધી ખાદીની ખરીદી પર 20 ટકા વળતર મળશે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. આજે ગાંધીજીની જન્મ જયંતિ પર આ જાહેરાત કરાઈ છે.