ગુજરાત સરકારની વીજ કંપનીના કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. સાત વીજ કંપનીના કર્મચારીઓને મોટું વીમા કવચ મળશે. કર્મચારીને 30 લાખ સુધીનું પર્સનલ વીમા કવચ આપવાનું સરકારે જાહેર કર્યુ છે.
પર્સનલ એક્સિડ્ન્ટમાં પણ 30 લાખ સુધીનું વીમા કવચ
60 હજાર કર્મચારીઓને આ વીમાનો લાભ મળશે
SBIમાં દ્વારા પ્લાન મુકાશે અમલમાં
દિવાળી તાકડે જ ગુજરાત સરકારે વીજકંપનીના કર્મચારીઓ માટે એક સારા સમાચાર આપ્યા છે. સરકાર દ્વારા વીજ કંપની કર્મચારીને અકસ્માતના કેસમાં 30 લાખ સુધીનો વીમો મળશે. સાત કંપનીના 60 હજાર કર્મચારીઓને આ વીમાનો લાભ મળશે.
રાજયમાં MGVCL (Madhya Gujarat Vij Company Limited) સહિતની સાત વીજકંપનીઓમાં ચાલુ ફરજે અકસ્માત થવાથી,કરંટ લાગવાથી દર વર્ષે સરેરાશ 15 થી 20 કર્મચારીઓના મૃત્યુ થાય છે. આ કર્મચારીઓને GUVNL (Gujarat Urja Vikas Nigam Ltd) તરફથી મળવાપાત્ર નાણાંકિય લાભો આપવામાં આવે છે.
ઉર્જામંત્રી એ વીમા સુરક્ષા માટે ભરી હામી
ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે તાજેતરમાં આવા કર્મચારીઓ માટે પર્સનલ એકસીડન્ટ વીમા કવચ હોવુ જોઇએ તેવી GUVNLમાં રજૂઆત કરી હતી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલનું પણ ધ્યાન દોર્યુ હતું. એટલુ જ નહીં, યુનિયનના સેક્રેટરી જનરલ રાજેન્દ્ર ખત્રીએ વીજકંપનીના કર્મચારીઓના સેલરી એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોલવામાં આવે તો ખાતા ધારક કર્મચારીને રૂા.30 લાખની રકમનું વીમાકવચ મળી શકે છે તો SBI સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે GUVNL દ્વારા કરાર કરવો જોઇએ તેવુ પણ સૂચન કર્યુ હતુ.