કોરોના વાયરસ સામેની લડાઈમાં બંધારણીય પદો પર બેઠેલા વ્યક્તિઓએ મદદ માટે આગળ આવ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલોએ સ્વેચ્છાએ પોતાના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે.
એક વર્ષ સુધી મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ
એક વર્ષ સુધી ધારાસભ્યોની ગ્રાન્ટ રદ્દ કરાઇ
કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં વપરાશે નાણાં
ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક વર્ષ સુધી તેમના પગારમાં 30 ટકાનો કાપ મુકાયો છે. જ્યારે પ્રત્યેક ધારાસભ્યને મળતી 1.5 કરોડ ગ્રાન્ટ પણ એક વર્ષ સુધી નહીં મળે. આ નાણાં કોરોના મહામારી સામે લડવા માટે વપરાશે.
મહત્વનું છે કે આ અગાઉ કેન્દ્રીય કેબિનેટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. સાંસદ નિધિ હેઠળ મળતા ફંડને પણ બે વર્ષ સુધી ટાળી દીધું છે. તમામ સાંસદોના પગારમાં વાર્ષિક 30 ટકાનો કાપ મૂકવા સંબંધિત કાયદાને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની માહિતી આપી હતી.