કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ: એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુ થયાં છે. જેમાંથી 3 યુવતીઓ ગુજરાતના ભાવનગરની રહેવાસી, રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરી
કેદારનાથમાં હેલિકોપ્ટર દૂર્ઘટના
દૂર્ઘટનામાં ગુજરાતની 3 દીકરીઓના મૃત્યુ
મૃતકોના પરિવારને 4 લાખ સહાયની જાહેરાત
આજે કેદારનાથથી 2 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીનું હેલોકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટી કરી હતી. જે દુર્ઘટનામાં મૃતકો ગુજરાત અને તમિલનાડુના છે. મૃતકોમાં ત્રણ દીકરી ગુજરાતના ભાવનગરની હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત પણ કર્યું છે. તેમજ રાજ્ય સરકારે મૃતકોના પરિવારને સાત્વના પાઠવી છે અને મૃતદેહોને પોતાનાના વતનના જિલ્લા સુધી પોહોંચાડવાની વ્યવસ્થા સરકાર કરશે. ગુજરાતના ભાવનગરના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર રૂપિયા ચાર લાખની સહાય આપશે.
મૃતકના પરિવારને સરકારની સહાય
કેદારનાથમાં હેલિકોપ્ટર દૂર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓના મૃત્યુ થયા છે. જે દૂર્ઘટનામાં સરકારે મૃતકોના પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય જોહેર કરી છે. મૃતદેહોને ગુજરાતમાં વતનના જિલ્લા સુધી પોહોંચાડવાની વ્યવસ્થા સરકાર કરશે. આજે કેદારનાથ યાત્રાળુઓ લઈને આવતું હેલિકોપ્ટર અકસ્માતગ્રસ્ત થઈ તૂટી પડ્યું જેમાં ભાવનગરની ત્રણ દીકરીઓનું દુઃખદ અવસાન થયેલ છે. મારી સાંત્વના મૃતકોના પરિવારજનો સાથે છે અને પરમકૃપાળુ પરમાત્મા આ આવી પડેલ દુઃખ સહન કરવાની તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના.
મૃતક 3 દીકરીઓ ગુજરાતના ભાવનગરની
કેદારનાથમાં હેલિકોપ્ટર દૂર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓના મૃત્યુ થયા છે. તેમનું નામ કૃતિ બારડ, ઉર્વી બારડ અને પૂર્વા રામાનૂજ હતું. આ અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે ટ્વીટમાં લખ્યું હતું કે, 'કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલો છે. જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું. વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે.' આ ટ્વીટની સાથે તેમણે એક તસવીર પણ શેર કરી હતી.