રાજ્યમાં વારંવાર ફાયરની ઘટનાઓ બને છે ત્યારે હાઈકોર્ટમાં ગુજરાત સરકારે રજૂ કરેલા આંકડા ચોંકાવનારા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા સહિતના શહેરોમાં હજારો બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનની કોઈ સવલત જ ન હોવાનું સામે આવ્યું છે.
ફાયર સેફ્ટીને લઇ મોટા સમાચાર
રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો
અમદાવાદમાં ફાયર સેફ્ટીમાં બેદરકારી
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફાયર સેફ્ટી અંગે રાજ્ય સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો થયો છે. રાજ્ય સરકારનો કોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ રજુ કર્યો છે. એક્સન ટેકન રિપોટમાં સરકારના ચોંકાવનારા ખુલાસા થયા છે.
પાટનગર અને આર્થિક પાટનગરમાં લોલમલોલ
ગાંધીનગર અને અમદાવાદમાં ફાયર સેફ્ટીમાં બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં 18 હજાર 912 ઇમારતો પાસે ફાયર NOC જ નથી જ્યારે ગાંધીનગરમાં 587 ઇમારતો પાસે ફાયર NOC નથી.
અન્ય શહેરોમાં પણ લાલિયાવાડી
રાજકોટમાં ફાયર NOCનો રેશિયો 100 ટકા છે. સુરતમાં 7,279 ઇમારતો પાસે ફાયર NOC નથી. વડોદરામાં 858 માંથી 68 ઇમારતો પાસે ફાયર NOC નથી.
આ અંગે વધુ સુનાવણી સોમવારે થશે
રાજ્યમાં ફાયર સેફ્ટીના અમલવારી માટે HCમાં અરજી થઇ છે જેના જવાબમાં સરકારે આ માહીતી રજૂ કરી હતી. આ અંગેની વધુ સુનાવણી હાઇકોર્ટમાં સોમવારે હાથ ધરાશે