700 કરોડનું પેકેજ જાહેર કર્યા બાદ પણ ખેડૂતોને રાહત આપી શકાઈ નહતી ત્યારે ખેડૂતો માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 20 ટકા નુકસાન થયું હોય તેવા ખેડૂતોને રાજય સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં પાક નુકસાન અંગે CM રૂપાણીએ નિર્ણય લીધો છે.
20 ટકા નુકસાન ધરાવાતા ખેડુતોને રાજ્યના બજેટમાંથી સહાય ચુકવાશે
33 ટકા નુકસાન ધરાવતા ખેડુતોને કેન્દ્રની ફાળવેલી રકમમાંથી ચુકવામાં આવશે
સરકારે રૂા. 700 કરોડની ઉપરાંત પણ સહાયની જાહેરાત કરી
ગુજરાતમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને મહા તેમજ ક્યાર ચક્રવાતના મારને કારણે ખેડૂતોની કમર તુટી ગઈ છે. ખેડૂતોને વરસાદે રાતા પાણીએ રોવડાયા છે ત્યારે તેમને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો હતો. સરકારે રૂા. 700 કરોડની ઉપરાંત પણ સહાયની જાહેરાત કરી છે.
કેટલા ટકા નુકસાન ધરાવતા ખેડુતોને થશે સહાય
20 ટકા નુકસાન ધરાવાતા ખેડુતોને રાજ્યના બજેટમાંથી સહાય ચુકવાશે. જયારે 33 ટકા નુકસાન ધરાવતા ખેડુતોને કેન્દ્રની ફાળવેલી રકમમાંથી ચુકવામાં આવશે. 700 કરોડના પેકેજ ઉપરાંત રાજ્ય સરકાર સહાય માટે ફાળવશે.