સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં આગ લાગવા મામલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 23 વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં છે. ત્યારે સરકાર અને તંત્રની આંખો ઉઘડી છે.
આ ઘટનાના પગલે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં આ મામલાને ગંભીર લઇને કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં કોઇ પણ ઇમારતો પર બનાવેલ શેડ દૂર કરવાનો આદેશ આપ્યો છે.
સુરતમાં બનેલી ઘટના બાદ સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં કોઇ પ્રકારના શેડના બાંધકામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શેડના બાંધકામ પર પ્રતિબંધ મુક્યો છે. ઇમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ શેડનું મટિરિયલ જ્વલનશીલ હોવાથી શેડ પ્રકારના બાંધકામ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરતમાં શેડ પ્રકારના બાંધકામના લીધે આગ પ્રસરી હતી. તમામ મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આ નિર્ણય લાગુ પડશે.