વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજથી અમદાવાદમાં પર્યાવરણ બચાવવા માટે CM રૂપાણીની હાજરીમાં અલગ અલગ 4 અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક ઉદ્યોગોનાં પ્રદુષિત પાણી મુદે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ઉદ્યોગોનાં પ્રદુષિત પાણીના મુદે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઔધોગિક એકમોનાં પ્રદુષિત પાણીને દરિયાઇ ઊંડાણમાં છોડવામાં આવશે. પાઇપલાઇન મારફતે ઉધોગોનું આ પ્રદુષિત પાણી છોડવામાં આવશે. અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, જેતપુરમાં પ્રદુષિત પાણીને સમુદ્રમાં છોડવામાં આવશે. 30 ટકા રાજ્ય સરકાર અને 70 ટકા ઉધોગોનાં ખર્ચે પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. ગયા બજેટમાં પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે હવે તેનું અમલીકરણ કરવામાં આવશે.
મિલિયન ટ્રી અભિયાનની શરૂઆત
મહત્વનું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌપ્રથમ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી વૃક્ષા રોપણ કર્યું અને મિલિયન ટ્રી અભિયાનને લીલીઝંડી આપી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સાબરમતી નદીને પણ સ્વચ્છ કરવાના અભિયાનને લીલીઝંડી આપી છે.
CMએ જોઈન્ટ એમ્ફોર્સમેન્ટ ટીમને આપી લીલીઝંડી
મિલિયન ટ્રી અભિયાન હેઠલ અમદાવાદમાં 10 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ જોઈન્ટ એમ્ફોર્સમેન્ટ ટીમને પણ લીલીઝંડી આપી છે. જેમાં શહેરના 48 વોર્ડમાં ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. આ ટીમને 50 જેટલી ઈ રિક્ષા આપવામાં આવી છે. જે ગંદકી, લખાણ, ટ્રાફિક, પોસ્ટર સહિતના વિવિધ કાર્યોની ચકાસણી કરશે.
ઈલેક્ટ્રીક વાહનો પર મુકવામાં આવશે ભાર
સાથે જ ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ પોઈન્ટની સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. જેના માટે 100 જેટલા પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. જેના માટે AMC અને EESL વચ્ચે પણ MOU કરવામાં આવશે. તો આજથી મેયર બીજલ પટેલ પણ ઈલેક્ટ્રીક કારનો ઉપયોગ કરશે.