દેશભરમાં નવરાત્રીનું સમાપન થઇ રહ્યું છે.ત્યારે બીજી તરફ પેટ્રોલ.ગેસ,ડીઝલ.અને સિંગતેલ-કપાસિયા તેલના ભાવ આસમાનને આંબી જતા મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે.આ વચ્ચે,રાજ્ય સરકારે ગરીબોના કોડીયાનું તેલ બનવા નિર્ધાર કર્યો છે. અને રાજ્ય સરકારે ગરીબ પરિવારોને 93 રૂપિયે કિલોના ભાવે કપાસિયા તેલ આપશે. રેશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જેમાં 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ 71 લાખ રેશનકાર્ડ ધારકોને તેલ અપાશે.
એક લીટર કપાસિયા તેલ
રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના આદેશાનુસાર,અંત્યોદય,બીપીએલ,અને NFSA હેઠળ અગ્રતાક્રમ ધરાવતા પરિવારોને દીપાવલીના દિવસોમાં એક લીટર કપાસિયા તેલના પાઉચ,વહેલા તે પહેલાના ધોરણે અપાશે
વહેલા તે પહેલાના ધોરણે
રાજ્ય સરકારના અન્ન-નાગરિક પૂરવઠા વિભાગે એવી પણ સુચના આપી છે કે,રીફાઈન્ડ કપાસિયા તેલનાં પાઉચનો જથ્થો અખાદ્ય ના થઇ જાય,અને લાભાર્થીઓને સમયસર વિતરિત થઇ જાય તે માટે નિગમના ગોડાઉનમાં તેમજ વાજબી ભાવના દુકાનદારો પાસે બચત જથ્થો શૂન્ય થઇ જાય ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે લાભાર્થી કાર્ડ ધારકોને વિતરિત કરવાનો રહેશે.
સબસીડી આપશે
રાજ્ય સરકારને આ એક કિલો કપાસિયા તેલ 162.72 રૂપિયામાં પડે છે. જેનો વિતરણ ભાવ 93 રૂપિયા રહેશે.સરકાર એક લીટર દીઠ રૂપિયા 70 સબસીડી આપશે.સરકારના આ વિભાગે અંદાજે 71 લાખ પાઉચ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ પાચલ રૂપિયા 49.70 કરોડ રૂપિયાનો સબસીડી ખર્ચ પણ થશે.
નવેમ્બરથી વિતરણ
અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા ગરીબ પરિવારો માટે કપાસિયા તેલનો જથ્થો નવેમ્બર મહિનાથી વિતરિત કરાશે આ સમગ્ર મહિના દરમિયાન રીફાઈન્દ કપાસિયા તેલના સમયસર વિતરણની જવાબદારી અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગના નિયામકની રહેશે.અને સરકારે જે સબસીડી જાહેર કરી છે,તે માત્ર કપાસિયા તેલ માટે ખરીદાયેલા પાઉચ પર જ રહેશે.