CM અધ્યક્ષસ્થાનેમંત્રી અને અધિકારીઑના લેવાશે ક્લાસ
દેશભરમાં કોરોના કેસોનો ફરી એકવાર રાફડો ફાટ્યો છે...જેને લઈને થોડા દિવસમોમાં ત્રીજી લહેર આવે તે સંભાવનાઓ દેખાઈ રહી છે.મોટેભાગેના રાજ્યોમાં કોરોના કેસોમાં રોજ ઉછાળો જોવા મળી રહ્યો છે.માટે અમુક રાજ્યોએ તો ફરીથી આકરા પ્રતિબંધ લગાવવાના શરૂ કર્યા છે..દિલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સ્કૂલને ફરી બંધ કરી છે.તો બીજી તરફ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે.ત્યારે રાજ્યમાં વધતાં કોરોના કેસ અંગે વિગતો મેળવવા અને એક્શન પ્લાન તૈયાર કરવા હવેથી કોર કમિટીની દરરોજ બેઠક મળશે તેવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળશે કોર કમિટીની બેઠક દરરોજ મળશે
ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ કોર કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળનારી આ બેઠકમાં કોરોના કંટ્રોલની કામગીરીની રોજ રૂપરેખા તૈયાર થશે તેમજ જિલ્લાને આપેલ આદેશ પ્રમાણે થઈ રહેલા કામોનું સીએમ પટેલ ખુદ નિરીક્ષણ કરશે.સોમ, મંગળ, બુધ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોર કમિટીની બેઠક મળશે જ્યારે ગુરુ, શુક્ર, શનિ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠકનું આયોજન થશે.
બેઠકમાં દરરોજ કોણ હાજર રહેશે?
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રોજે મળનારી કોર કમિટીની બેઠકમાં પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેવા મંત્રીઓ તો
મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અધિક મુખ્ય સચિવ રાજકુમાર જેવા મોટા અધિકારી હાજર રહેશે.
સંભવિત ત્રીજી લહેરના ભણકારા?
ગુજરાતમાં કોરોનામાં બીજી લહેર જેવી સ્થિતિ પેદા ન થયા તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ રોજ બેઠક કરી આગોતરા આયોજન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે. મહત્વનું છે કે છેલ્લા 3 દિવસથી કોરોના કેસો ગત દિવસોની સરખામણીએ ડબલ અને ત્રણ ઘણા આવી રહ્યા છે. સાથે ઓમીક્રૉન કેસોની સંખ્યા પણ 100 નજીક પહોંચવા આવી છે તેમાંથી ઘણા કેસો એવા પણ પોઝિટિવ આવ્યા છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.