ગુજરાતમાં દરિયાઈ વિસ્તારોને ખારા પાણીને મીઠું બનાવવા માટેનાં વધુ ત્રણ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થશે.રાજ્યમાં 3 સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ થશે.આ પ્રોજેક્ટ મોટાભાગે
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપનાં આધારે કાર્યાન્વિત થશે,જેમાં દૈનિક 7 કરોડ લીટર પાણીને રોજીંદી પ્રક્રિયામાં ખારામાંથી મીઠું બનાવાશે.2020 બાદ વધુ ત્રણ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થશે
કચ્છના માંડવીને આપી હતી પ્રધાનમંત્રીએ ભેટ
ગુજરાતની દરિયાઈ પટ્ટી પરના સમુદ્રી પાણીને મીઠું બનાવી વપરાશમાં લેવાના વધુ એક પ્રોજેક્ટનો ટૂંકમાં જ શુભારંભ થશે. આગાઉ કચ્છના માંડવીમાં 15 ડિસેમ્બર 2020નાં રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિદિન 10 કરોડ લીટર પાણી જે રાજ્યમાં કાર્યરત સૌની યોજના,નર્મદા ગ્રીડમાંથી રાજ્યમાં 3 સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટનો ખાત મુહુર્ત કર્યો હતો. કચ્છના દરિયાઈ વિસ્તારોને આ પ્લાન્ટથી પીવાનું મીઠું પાણી મળશે. હવે રાજ્યમાં વધુ ત્રણ જિલ્લાઓને ડિસેલીનેશન પ્લાન્ટથી મીઠું પાણી મળશે. જેમાં દ્વારકાનાં ગાંધવીમા ,ગીર-સોમનાથ જિલ્લો અને ભાવનગર જિલામાં આ પ્લાન્ટ કાર્યરત કરાશે.
જનભાગીદારીનો પ્રોજેક્ટ -સરકાર આપશે 280 કરોડ
રાજ્ય સરકારે આ પ્લાન્ટ માટે અગાઉ જામનગરનાં જોડિયા માટે મંજૂરી આપી હતી. પરંતુ હવે આ પ્રોજેક્ટમાંથી જોડિયાની બાદબાકી થઇ ગઈ છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શિપ (PPP) અંતર્ગત કાર્યાન્વિત થનારા આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર રૂપિયા 280 કરોડની સહાય આપશે. વર્ષ 2018 માં રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી હતી.પરંતુ કોરોનાકાળમાં છેલ્લા દોઢ વર્ષથી કોઈ પ્રગતિ નહોતી.
કાચના માંડવીમાં કાર્ય પ્રગતિ પર છે ત્યારે,અન્ય ત્રણ જિલ્લાઓનાં દરિયાઈ વિસ્તારના પાણીને ખારામાથી મીઠું કરવાના આ કાર્યથી પીવાના પાણીની સમસ્યા મહદ અંશે નિવારી શકાશે