બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:17 PM, 9 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.અગાઉ પોલીસ,મહેસુલ વિભાગના કર્મચારીઓ અને હવે રાજ્યના શિક્ષકોની રજા રદ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
બધા જ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
* પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
* એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે.
વધુ વાંચો: ઈન્ડિયન આર્મીથી કેટલી અલગ છે ટેરિટોરિયલ આર્મી?, જાણો બંન્ને વચ્ચેનો તફાવત
* અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
પોલીસ અધિકારીઓની રજા રદ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યના રજા પર ગયેલા પોલીસ અધિકારીઓને હાજર આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓઓને મંજૂર થયેલી રજાઓ આકસ્મિત સંજોગોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આમ સબંધિત અધિકારીઓને રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થયા બાદ પોલીસ વિભાગમાં જાણ કરવા જણાવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.