ગાંધીનગરઃ સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી અફવાઓ ફેલાવવામાં આવે છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવા માટે કાયદો લાવવા માટે પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. રાજ્ય સરકાર સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી અફવાઓ પર ખાસ બીલ લાવી શકે છે.
આ મામલે સરકાર ચોમાસા સત્ર દરમિયાન ખાસ બીલ રજૂ કરી શકે છે. આ મામલે પહેલા પણ ચર્ચા થઈ હતી. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર ડ્રાફટ બીલ પર કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા બીલ પર લીગલ ઓપિનિયન પણ લેવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ખોટા સમાચારો ફેલાવવાનું માધ્યમ બની ગયું છે. લોકો સત્યને જાણ્યા વિના જ તેને તરત શેર કરે છે. જેને લઇને લોકો પાસે ખોટી માહિતી પહોંચે છે. ખોટા સમાચાર રમખાણ હત્યા અંધશ્રદ્ધા ફસાવવા અને ખોટા માર્ગે દોરવા માટે જવાબદાર બનતું હોય છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓને લઇને કાયદો લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેન લઇને ટૂંક સમયમાં ખાસ બીલ લાવવામાં આવી શકે છે.