ગાંધીનગરઃ સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. તેમ છતાં શાળાના સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાવવામાં આવે છે. ત્યારે હવે આજે સરકાર દ્વારા ખાનગી શાળાઓની કટ ઓફ ફી જાહેર કરવામાં આવશે.
SCના વચગાળાના ચૂકાદા બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. મહત્વનુ છે કે સરકાર દ્વારા કટ ઓફ ફીને લઈને બોર્ડના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી હતી.
પિટિશનરો વાલીઓ અને સંચાલકની કમિટી તૈયાર કરવામાં આવી. આ કમિટીએ એક અહેવાલ તૈયાર કરીને સરકારને રિપોર્ટ સોંપ્યો છે.
ત્યાર બાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોની કટ ઓફ ફી જાહેર કરાશે. સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ સ્કૂલો તેનાથી વધુ ફી લેવા માંગતી હોય તો સ્કૂલ દ્વારા 14 માર્ચ સુધી કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે. ત્યાર બાદ કમિટી દ્વારા 28 માર્ચ સુધીમાં સ્કૂલની પ્રોવિઝનલ ફી જાહેર કરાશે.