રાજ્ય સરકાર સામે બંડ પોકારવામાં વડોદરાના ધારાસભ્યો મોખરે છે. રાજ્ય સરકાર સામે વડોદરાથી વિરોધનો સુર વારંવાર ઉઠતો જોવા મળે છે. આ અગાઉ મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ પણ વિરોધ કરી ચૂક્યાં છે. મધુ શ્રીવાસ્તવ સાથે કેતન ઇનામદારે પણ વિરોધ કર્યો હતો.
રૂપાણી સરકાર માટે વડોદરા બન્યું માથાનો દુખાવો
સરકાર સામે વડોદરા બન્યું છે વિરોધનું કેપિટલ
અગાઉ ત્રણ ધારાસભ્યો પોકારી ચુક્યા છે બંડ
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી જ્યારે સૌ પહેલી વાર લડ્યા હતા ત્યારે તેઓ બનારસ અને વડોદરા બેઠક પસંદ કરી હતી. જે બંને બેઠક પરથી પીએમ મોદી સાહેબની જીત થઇ હતી. ત્યારબાદ પીએમ મોદીએ વડોદરા બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.
રાજ્ય સરકારમાં પોતાને સ્થાન ન મળતાં આ ત્રણેય ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અધિકારીઓ પોતાનું સાંભળતા ન હોવાનું બહાનુ ધરી વિરોધ કરતાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
જો કે આ અગાઉ પણ આ ત્રણેય ધારાસભ્યોએ રાજીનામું આપવાની ચીમકી આપી હતી. જો કે વિરોધ બાદ યોગેશ પટેલને મંત્રીપદ આપવામાં આવ્યું હતું. જ્યારે મધુ શ્રીવાસ્તવને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારથી કેતન ઇનામદારને કોઇ પદ આપવામાં આવ્યું ન હતું.
આમ આટલા સમયથી સરકારમાં કોઇ સ્થાન ન મળતાં કેતન ઇનામદારે સરકાર સામે બાંયો ચડાવી છે. કેતન ઇનામદારે સાવલી નગરપાલિકાના બીલ મુદ્દે વિરોધ કર્યો છે. જો કે રાજ્યના પક્ષના હાઇ કમાન્ડમાંથી મનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
સાવલીના ધારાસભ્ય દ્વારા રાજીનામાનો મામલે ઉર્જામંત્રીની પ્રતિક્રિયા
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે ઉર્જામંત્રી સૌરભ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, કેતન ઈનામદારે અગાઉ મારી સાથે વાત કરી હતી.
સ્ટ્રીટ લાઈટ મુદ્દે કેતન ઈનામદારે મારી સાથે વાત કરી હતી. મે કેતન ઈનામદારને વીજ કનેક્શન ચાલુ રાખવા માટે ખાતરી આપી હતી. બુધવારે કેતન ઈનામદારે રાજીનામું આપ્યુ હતુ. સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યના હોદ્દાનું માન જળવાતુ ન હોવાનો રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો.