ગુજરાત સરકારે ભૂસ્તર અને ખનીજ કચેરીના કમિશનરના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા 3 ક્લાસ-1 કક્ષાના ભૂસ્તર શાસ્ત્રીઓની બદલી કરી છે.
કયા અધિકારીઓની બદલી કરવામાં આવી?
આ ત્રણ અધિકારીઓમાં એન એ પટેલ, સુમિત પી ચૌહાણ અને કે એન મહાવદીયાનો સમાવેશ થાય છે.
કયા અધિકારીને ક્યાંથી ક્યાં મુકવામાં આવ્યા?
આ અધિકારીઓ પૈકી એન એ પટેલ જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા હતા જ્યાંથી તેમની બદલી તેમની સ્વ વિનંતીને ધ્યાનમાં રાખીને જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, છોટા ઉદેપુરમાં કરવામાં આવી છે.
સુમિત પી ચૌહાણને મુખ્ય કચેરી ગાંધીનગરથી બદલીને જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, પોરબંદર મુકવામાં આવ્યા છે. કે એન મહાવદીયાને જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, ગીર ભુજ કચ્છથી બદલીને જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી, સોમનાથમાં મુકવામાં આવ્યા છે.