ગુજરાત સરકારે રાજ્યની તમામા શૈક્ષણિક સંસ્થાઓને એક પરિપત્ર જાહેર કરી હિજાબ વિવાદ અંગે સાવધાન રહેવાની સૂચના આપી
હિજાબ વિવાદ મુદ્દે શિક્ષણ વિભાગનો પરિપત્ર
વિવાદ ન થાય તે માટે DEO-DPEOને અપાઈ સૂચના
શાળા-કોલેજમાં તકેદારી રાખવા સૂચન
સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજ બાદ સરકાર સતર્ક
હિજાબ વિવાદ મુદ્દે ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર
કર્ણાટક હાઇકોર્ટે હિજાબ પહેરવું એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી એવો ચુકાદો આપ્યા બાદ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ DEO-DPEOને એક પરિપત્ર જારી કરીને હિજાબ મુદ્દે વધુ વિવાદ ન થાય તે માટે તકેદારીની સૂચના આપી છે
હિજાબ મુદ્દે વિવાદ ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના
તેમજ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે પણ કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરમાં કહેવાયું છે કે "હિજાબ વિવાદ વિશે સાવચેત રહો જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે."
સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજ બાદ સરકાર સતર્ક
મહત્વનું છે કે કર્ણાટક હાઇકોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો હતો કે હિજાબ પહેરવું એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી. તેથી સ્કૂલોમાં એક સમાન યુનિફોર્મ અંગેના કર્ણાટક સરકારના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. આ સાથે વર્ગમાં હિજાબ પહેરવાની છૂટ ન આપવાથી મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાની અનેક અરજીઓને એક સાથે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં હિજાબ વિવાદના પગલે ભારે હિંસા થઈ હતી. જેથી ગુજરાતમાં આ બાબતે સાવધાની રાખવી જરુરી છે.'' મહત્વનું છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગનો પરિપત્ર 28 માર્ચથી યોજાનારી GSHSEB ધોરણ 10, 12 ની પરીક્ષાના થોડા દિવસો પહેલા જ આવ્યો છે.