કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ વધારે પડતા N-95 માસ્કના ઉપયોગનો આગ્રહ કરાઇ રહ્યો છે. પરંતુ N95 માસ્કના વેચાણને લઈને ફરી એક વખત અસામ્યતા સામે આવી છે. સરકાર લોકોને આ N95 માસ્ક પહેરવા આગ્રહ કરે છે અને વ્યવસ્થા પણ કરી છે. પરંતુ ડૉક્ટરના કહેવા પ્રમાણે સામાન્ય વ્યક્તિએ N95 માસ્ક પહેરવું હિતાવહ નથી. તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સરકારના નિર્ણયનો ઢાંકપીછોડો કરી રહ્યાં છે. શુ છે સમગ્ર મામલો ?
18મી મેના રોજ CMએ જાહેરાત કરી N95 માસ્ક રાહત દરે વેચાશે
અમુલના પાર્લર પરથી લોકો ખરીદી શકશે N95 માસ્ક
પરંતુ ડૉક્ટરે કહ્યુ N95 માસ્ક સામાન્ય લોકો માટે નથી
મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ 18મી મેના રોજ રાજ્યની જનતાને સંબોધતા માસ્ક પહેરવાનો આગ્રહ કર્યો હતો. થ્રી લેયર તેમ જ N95 માસ્ક લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે અમુલના પાર્લર પર રાજ્ય સરકારે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.
કોરોના માહામારી અંગે રાજ્ય સરકાર દ્વારા 9 ડૉક્ટર્સની એક ટાસ્કફોર્સ રચી છે. આ જ ટાસ્કફોર્સના ડૉક્ટર વી.એન શાહનું કહેવુ છે કે N95 માસ્ક માત્ર હોસ્પિટલના ઉપયોગ માટે છે. આ માસ્ક પબ્લીકમાં પહેરવાની જરૂર નથી. કારણ કે N95 માસ્કના કારણે બ્રેનને પ્રોબ્લેમ થઈ શકે છે. પરિણામે એક્સિડેન્ટ થઈ શકે છે.
ડો. એન.વી શાહના આ નિવેદન બાદ સવાલ પુછવામાં આવ્યો કે N95 માસ્ક સામાન્ય જનતા માટે હીતાવહ નથી તો સરકારે અમુલના પાર્લર પર વેચાણની વ્યવસ્થા કરી લોકોને પહેરવાનો આગ્રહ કરતા પહેલા ડૉક્ટર્સની સલાહ લીધી હતી કે નહી? તો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ સરકારના નિર્ણય પર ઢાંકપીછોડો કર્યો હતો.