રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે.ત્યારે રાજ્ય સરકારે દવાઓ ખરીદવા કરવા માટે નવી સમિતિ બનાવી
કોરોના સંકટને લઈને સરકારની નવી સમિતિ
દવાઓ ખરીદવા સરકારે નવી સમિતિ બનાવી
CMના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમિતિ
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાઈ
રાજ્યમાં કોરોના સંક્રમણનો ગ્રાફ જોતાં આગામી થોડા દિવસોમાં જ વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. ત્યારે કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. તેની વચ્ચે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. અગાઉની સમિતિને વિખેરીને નવી સમિતિની રચના કરાઈ છે.આ સમિતિમાં 6 IAS અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કઇ દવાઓની ખરીદીનો સમિતિએ ઓર્ડર આપ્યો
આ સમિતિ કોરોના નિયંત્રણ અને સારવાર માટે જરૂરી કોઇપણ પ્રકારના સાધનો, દવાઓ અને માનવબળ સહિતની સેવાઓ તાત્કાલિક અસરથી ખરીદ કરી શકે તેવી સત્તા આપી છે. સરકારમાં ખરીદી માટેની નિયત કરેલી પ્રક્રિયા કે ટેન્ડર સહિતની કોઇપણ પ્રક્રિયાને અનુસર્યા વિના આ સમિતિ દવાઓ, સાધન સામગ્રી કે માનવબળ સહિતની કોઇપણ જરૂરી ચીજવસ્તુ, સેવા યોગ્ય ભાવે લઇ શકશે. આ સાથે સરકારે રચેલી સમિતિએ દવાઓની ખરીદવાની કામગીરી શરૂ કરી છે. જેમાં 5 લાખ રેમડેસીવીર ઈન્જેક્શન, 10 હજાર એમ્ફોટેરીસીન ઈન્જેક્શન, 4.85 લાખ મોલનુપિરાવીર કેપ્સ્યુલો, 75 હજાર ફેવીપીરાવીર ટેબ્લેટની ખરદીનો આર્ડર આપ્યો છે.