રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતી કથળી રહી છે. 13,450 પ્રાથમિક શાળાઓમાં 100 કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. 6826 પ્રાથમિક શાળામાં 50 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ભણે છે.
જેમાં ધોરણ 1થી 8માં 3891 શાળાઓમાં 100 કરતાં ઓછા વિદ્યાર્થીઓ છે, જ્યારે ધોરણ 1થી 8માં 1356 શાળાઓમાં 50 કરતા ઓછા વિદ્યાર્થીઓ છે. મોટાભાગની શાળાઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે.
જોકે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાની સ્થિતીને ધ્યાને રાખી શાળાઓ મર્જ કરાશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને મર્જ કરવામાં આવશે. રાજ્યની 5223 પ્રાથમિક શાળાને મર્જ કરાશે.
જેમાં ધોરણ 6થી 8માં 25થી ઓછુ નામાંકન ધરાવતી 17 શાળાને મર્જ કરાશે. ધોરણ 6 અને 7માં 20થી ઓછુ નામાંકન ધરાવતી 7 શાળાને મર્જ કરાશે. 100થી ઓછું નામાંકન ધરાવતી 5172 શાળાને મર્જ કરાશે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી શાળાને મર્જ કરાશે.
રાજ્યમાં શિક્ષણની હાટડીઓને મળી રહી છે ફટાફટ મંજૂરી
બીજી તરફ રાજ્યમાં શિક્ષણની હાટડીઓને ફટાફટ મંજૂરી મળી રહી છે. સરકારી અને ગ્રાન્ડેટ શાળાઓની સામે ખાનગી શાળાઓને વધુ મંજૂરી આપવામાં આવી રહી છે. સરેરાશ 1 સરકારી શાળાની સામે 10 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 135 સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1 હજાર 287 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં 211, સુરતમાં 140 અને રાજકોટમાં 129 ખાનગી શાળાઓ શરૂ થઇ છે.