અમરેલીઃ સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીને લઈને ખેડૂતોને સહન કરવું પડે છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજુલામાં ધાતરવડી 2 ડેમનું પાણી છોડવા મંજૂરી આપી છે. ધાતરવડી ડેમ 2નો એક દરવાજો ખુલ્લો રાખવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ધાતરવડી ડેમ 2નો એક દરવાજો 24 કલાક ખુલ્લો રાખવામાં આવશે. જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે. રાજુલા તાલુકાના ગામોના ખેડૂતોને ધ્યાને રાખીને સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે અગાઉ ધારાસભ્ય અંબરીશ ડેરે સરકારને આ અંગે રજૂઆત કરી હતી.
ધાતરવડી ડેમમાંથી પિયત માટે રાજુલામાં પાણી છોડવા માટે ધારાસભ્ય અંબરીશ ડેરે તંત્રમાં રજુઆત કરી હતી. ત્યારે રજુઆતના પગલે ધાતરવડી ડેમમાંથી પિયત માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ખેડૂતોએ રાહત અનુભવી છે. મહત્વનું છે કે પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાથી પાણી છોડવુ જરૂરી બન્યુ હતું.