ગાંધીનગરઃ રાજ્યમાં ઓછા વરસાદને લઈને ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે ઓછા વરસાદને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય બાગ 44 તાલુકાઓમાં સરકાર દ્વારા ઘાસ આપવામાં આવશે.
પશુ ઘાસ ચારા માટે ખેડૂતોને કાર્ડ આપવામાં આવશે. પશુ દીઠ ખેડૂતોને દૈનિક 4 કિલો ઘાસ આપવામાં આવશે. રાજ્યના બજેટમાંથી આ ખર્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 215 તાલુકામાંથી 44 તાલુકામાં 125mmથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. સિઝનનો અત્યાર સુધીમાં 54% વરસાદ વરસ્યો છે. ત્યારે હવે ઓછા વરસાદને લઇને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના નિર્ણય બાદ 44 તાલુકાઓમાં ગુજરાત સરકાર પશુ દીઠ ખેડૂતોને દૈનિક 4 કિલો ઘાસ આપવામાં આવશે. જ્યારે ઘાસ 2 રૂપિયે 1 કિલો આપવામાં આવશે.
હાલ ગુજરાતમાં વરસાદનું સંકટ આવે તેવા એંધાણ છે. વરસાદે શરૂઆતની ધમાકેદાર બેટિંગ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કરી હતી.
પરંતુ ઉ.ગુજરાત અને કચ્છમાં વરસાદ નોંધાવા પામ્યો ન હતો. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ઘાસ આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં હાશકારાનો અનુભવ થઇ રહ્યો છે.