ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વાત ખુત સ્વીકારી છે કે, ગુજરાતના રસ્તા ખરાબ છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઈ-કન્વેન્શનમાં ભુપેન્દ્રસિંહે આ વાતનો સ્વીકાર કર્યો છે.
મંત્રીએ પણ સ્વીકાર્યુ કે ગુજરાતના રસ્તા ખરાબ
શિક્ષણ મંત્રીએ રસ્તા ખરાબ હોવાની કરી કબૂલાત
રાજ્યમાં બિસ્માર રસ્તાઓ હોવાની મંત્રીનો સ્વીકાર
ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ ખરાબ રસ્તાનો અનુભવ થયો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વાત ખુત સ્વીકારી છે કે, ગુજરાતના રસ્તા ખરાબ છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઈ-કન્વેન્શમાં ભુપેન્દ્રસિંહે આ વાતનો સ્વીકાર કર્યો છે. ભુપેન્દ્રસિંહ કાર્યક્રમમાં થોડા મોડા પહોંચ્યા. ત્યારે તેમણે ઈ-કન્વેન્શનને સંબોધતા કહ્યું કે, કાર્યક્રમમાં હું મોડો પડ્યો છું. વડોદરાથી સુરત આવવામાં રસ્તા બહું ખરાબ છે.
રૂા. 400 કરોડનું રોડ રસ્તાઓને નુકસાન
ભારે વરસાદના પરિણામે રાજ્યના 5500 જેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે. રસ્તાઓના ધોવાણને કારણે અંદાજે રૂપિયા 350થી 400 કરોડનું નુકશાન થયું હોવાનું ખુદ DYCM નીતિન પટેલે કબૂલ્યુ છે. ગઈ કાલે યોજાએલી ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગની બેઠક યોજાઈ હતી. રાજ્યભરના રસ્તાઓના થયેલા નુકશાન સંદર્ભે મહત્વની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આગામી નવરાત્રિ અને દિવાળી સુધીમાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નુકશાન અંગેનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના પરિણામે 1022 કિ.મી.ના રસ્તા તાત્કાલિક રિપેર કરવાના આદેશ થયા છે તો 3379 કિ.મી.ના રસ્તા પર મેટલ અને પેચવર્કની જરૂરિયાત છે. આમ 9301 કિ.મી.ના રસ્તાઓનું સરકાર રિપેરિંગ કરશે.