ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જનતાને મદદ કરવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રેશકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેશનકાર્ડ ધારકોને 1 લીટર કપાસિય તેલ આપવામાં આવશે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રેશનકાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ અપાશે
અન્ન નાગરિક પુરવઠા વિભાગે કરી તેલની ખરીદી
ગુજરાતમાં વકરતા કોરોના વાયરસની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેશનકાર્ડ ધારકોને સરકાર 1 લીટર કપાસિય તેલ મફતમાં આપશે.
રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે તેલની ખરીદી પણ કરવામાં આવી છે. અન્ન નાગરિકપુરવઠા વિભાગે 36 લાખ પાઉચ તેલની ખરીદી કરી છે.
રાજ્યમાં તેલની ખરીદી કરેલો જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે રેશકાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારદ્વારા 36 લાખ પરિવારોને આ તેલનો જથ્થો પહોંચાડવામાં આવશે. આગામી દિવસોમાં આ જથ્થો એક અઠવાડિયામાં તમામ જથ્થો પહોંચાડવામાં આવશે.