ગુજરાત સરકારની મુશ્કેલમાં વધારો થઈ શકે છે. LRD બાદ હવે બેરોજગારીના મુદ્દાને લઈને થશે આંદોલન. આંદોલનકારીઓનું 16 તારીખ સુધીનું સરકારને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. સરકાર ઠરાવનું બંધારણીય રીતે નિકાલ કરી ભરતી ચાલુ કરવાની માગ કરવામાં આવી રહી છે. 17 તારીખે બેરોજગાર મુદે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ગાંધીનગરમાં વધુ એક આંદોલન
બેરોજગારી મુદ્દે આંદોલનની ચીમકી
16 તારીખ સુધી સરકારને અલ્ટીમેટમ
બેરોજગારી મુદ્દે પ્રવિણ રામ અને યુવરાજસિંહ જાડેજાએ સરકાર સમક્ષ માંગ કરી છે. 16 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું આહ્વાન આપ્યુ છે.
સરકાર ઠરાવનું બંધારણીય રીતે નિકાલ કરી ભરતી ચાલુ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. બેરોજગારી મુદ્દે મહાઆંદોલન તેમજ વિધાનસભા કૂચની ચીમકી આપી છે. 17 તારીખે બેરોજગાર મુદે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી અપાઈ છે.
શું કહે છે પ્રવીણ રામ?
બંધારણીય રીતે નિર્ણય લેવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ. 25 તારીખે સરકારે તારીખ ન માંગવી જોઈએ. સરકાર ભરતી અટકાવી 2022માં રાજકીય લાભ લેવા માગે છે. સરકાર બંધારણીય રીતે ઠરાવ રદ કરશે તો અમે સ્વીકારીશું: પ્રવિણ રામ
શું કહે છે યુવરાજ સિંહ
બિન સચિવાલય અને સચિવાલયની તારીખ જાહેર કરે. બિન સચિવાલયમાં સરકારે બતાવેલ GR નડતર રૂપ નથી. ઠરાવમાં 2014 પ્રમાણે ભરતીનો ઉલ્લેખ છે. સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ઠરાવમાં 1-8-2018નો ક્યાંય પણ ઉલ્લેખ કરાયો નથી.