ગુજરાત પર અત્યંત ભયંકર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે જુઓ ગુજરાત સંકટ સામે કેટલું સજ્જ છે?
ગુજરાતના માથે મોટી આફત
દોઢ લાખથી વધારે લોકોનું કરાયું સ્થળાંતર
ICU ઑન વ્હીલ અને ઍમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય
કોરોના વાયરસના સંકટની વચ્ચે હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે તથા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના જુદા જુદા જિલ્લા તંત્ર તથા રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે.
તૌકતે સામે ગુજરાત કેટલું તૈયાર?
રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે
17 જિલ્લાના 655 ગામમાંથી લોકોનું સ્થળાંતરણ
50 NDRF અને SDRFની ટીમ કામે લગાડાઈ છે
85 ICU ઓન વ્હીલની સુવિધા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે
1383 પાવર બેક, 161 ICU એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય
576 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઇ
તાલુકા મથકોએ વીજ પુરવઠો ના ખોરવાય માટે વીજ કંપનીઓની ટીમ ખડે પગે
વૃક્ષો પડવાની આશંકાને પગલે ફોરેસ્ટ, કોર્પોરેશનની ટીમો પણ સ્ટેન્ડ બાયૉ
ઓક્સિજન સપ્લાય ના અટકે એટલે હોસ્પિટલોમાં જનરેટર, પાવર બેંકની વ્યવસ્થા
રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન કેન્દ્રો પણ બંધ કરવાનો આદેશ અપાયો છે
સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ માટે તૈયાર રહેવાનો આદેશ
ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે'
સોમવાર વહેલી સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે.
હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે. સાથે આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.