કોરોનાકાળમાં ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં 9 IAS અધિકારીની બદલી કરાઈ
સાબરકાંઠાના કલેક્ટર તરીકે એચે.કે.કોયાની નિમણૂક
એ.એમ.શર્માને ડાંગના કલેક્ટર બનાવ્યા
કોરોનાકાળ વચ્ચે IAS અધિકારીઓની બદલી
ગુજરાત અત્યારે કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યું છે ત્યાં રાજ્યની અમલદારશાહીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતના 9 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
બે અધિકારીઓ કલેકટર અને 7ને DDO બનાવાયા
કોરોનાકાળમાં ગુજરાત સરકારે અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે જેમાં બે જિલ્લાઓને નવા કલેકટર મળ્યા છે. IAS એ.એમ.શર્મા હવે ડાંગ જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવશે જ્યારે સાબરકાંઠા જિલ્લાને પણ નવા કલેકટર મળ્યા છે. IAS એચ.કે.કોયાને સાબરકાંઠાના કલેકટર તરીકે જવાબદારી આપવામાં આવી છે.
સાબરકાંઠા અને ડાંગને મળ્યા નવા કલેકટર
સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા જેમના સ્થાને હવે કલેકટર તરીકે એચ કે કોયા જવાબદારી સંભાળશે. એચકે કોયા હાલમાં સુરત જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ સિવાય AM શર્માને ડાંગ જિલ્લાના કલેટર તરીકે જવાબદારી આપવામાં આવી છે, આ પદની જવાબદારી અત્યારે હરજીભાઈ એડિશનલ ચાર્જ તરીકે નિભાવી રહ્યા હતા.
રાજ્યમાં 9 IAS અધિકારીની બદલી કરાઈ: સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે.કોયા, એ.એમ.શર્માને ડાંગ જિલ્લા કલેક્ટર, ડી.એસ.ગઢવીને સુરતના DDO, કે.એલ.બચાણીને ખેડાના DDO, ડી.ડી.કાપડિયાને વ્યારાના DDO, કે.ડી.લાખાણીની મહિસાગરના DDO તરીકે કરાઇ બદલી@CMOGuj@IASassociationpic.twitter.com/F4bIeOMR2c
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 8, 2021
સાત DDOની નિમણૂક
આ સાથે જ રાજ્યના સાત IAS અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર DDOની જવાબદારી આપી છે. જેમાં ડી.એસ.ગઢવીને સુરતના DDO, કે.એલ.બચાણીને ખેડાના DDO, ડી.ડી.કાપડિયાને વ્યારાના DDO, કે.ડી.લાખાણીની મહિસાગરના DDO તરીકે કરાઇ બદલી કરાઇ છે.