ગુજરાત સરકારે દિવાળી પહેલા મોટો નિર્ણય લીધો છે જેમા વિવિધ IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યા છે.
રાજ્યના સિનિયર IAS અધિકારીઓની બદલી
10 IAS ઓફિસરની બદલીના આદેશ
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળી પોસ્ટિંગ
ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદ મંત્રીઓ બદલાઈ ગયા છે ત્યારે હવે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટા અધિકારીઓને પણ બદલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના 10 અધિકારીઓની એક સાથે બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સામે આર્થિક ક્ષેત્રે ઘણા પડકારો છે ત્યારે જેપી ગુપ્તાને નવા નાણાં સચિવ બનાવવામાં આવ્યા છે જ્યારે મિલિન્દ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
S છકછુકને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનાં ડાયરેક્ટર પદનો વધારાનો ચાર્જ
કમલ શાહની એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિયુક્તિ
તુષાર દલપતભાઈ સુમેરાનું ભરૂચના કલેકટર તરીકે ટ્રાન્સફર
નોંધનીય છે કે ઘણા દિવસોથી સચિવાલયમાં અધિકારીઓની બદલીને લઈને અંદરોઅંદર ચર્ચાઓ થઈ રહી હતી અને આજે સરકારનાં નિર્ણય સામે આવ્યો છે. બોટાદ અને ભરૂચને નવા કલેકટર મળી ગયા છે જ્યારે IAS અવંતિકા સિંઘ, અશ્વિની કુમારને વધારાનો ચાર્જ અપાતાં કદ વધી ગયું છે.