કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ નવી શિક્ષણનીતિ માટે કમર કસી. આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં ઓનલાઈન બેઠક યોજી હતી.
નવી શિક્ષણ નીતિ મુદ્દે રચાશે કમિટી
શિક્ષણનિતીના અભ્યાસ અને અમલીકરણ માટે કમિટી રચાશે
તમામ યુનિવર્સિટીને શિક્ષણ વિભાગે આપી સુચના
નવી શિક્ષણ નીતિના ચેપ્ટર દીઠ તેનો અભ્યાસ કરવા અલગ અભ્યાસ કમિટીની પણ રચના કરવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની દિશામાં આગળ વધવા યુનિવર્સિટીના કુલપતિઓ સાથે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગાંધીનગર ખાતે ઓનલાઈન બેઠક યોજી હતી.
એજ્યુકેશન ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી
એજ્યુકેશન ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે. તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણમંત્રીએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરે. આ અંગે આ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી.
ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે
આ બેઠકમાં એજ્યુકેશન મિનિસ્ટર ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિના અમલ માટે નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે એટલું જ નહીં આ ઉપરાંત દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે. આ અંગે ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા અંગે પણ જણાવ્યું હતુ,