ગાંધીનગરઃ ગુજરાત સરકારનો ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે મહત્વની જાહેરાત કરી છે. કાયમી કપાયેલા વીજ જોડાણના બીલ સરકારે માફ કર્યા છે.
1 કરોડથી નીચેના બીલ માટે યોજના લાગુ થશે. ખેડૂતો અને ઉદ્યોગોને યોજના લાગુ પડશે. 31 ઓગસ્ટ સુધી લાગુ યોજના પડશે.
ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે 7 લાખ વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકાર દ્વારા 443 કરોડ રૂપિયાની વીજ માફી આપવામાં આવી છે.