રાજ્યમાં ગણોત કાયદામાં ક્રાંતિકારી સુધારો સામે આવ્યો છે. જાણો સરકારે શું લીધો છે નિર્ણય
રાજ્યમાં ગણોત કાયદામાં ક્રાંતિકારી સુધારો
જમીન ખરીદી માટે કલેકટરની પૂર્વ મંજૂરીની જરૂર નહીં
કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
રાજ્યમાં ગણોત કાયદામાં ક્રાંતિકારી સુધારો કરવામાં આવ્યો છે. જમીન ખરીદી માટે હવે કલેકટરની પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહી. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી રાજ્યમાં વધુ રોકાણની તકો ઉભી થશે.
શૈક્ષણિક હેતુસર જમીન ખરીદવા મંજૂરી લેવાની જરૂર નહીં. કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી માટે જમીન ખરીદવા મંજૂરીની જરૂર નહીં. તો મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ માટે પણ જમીન ખરીદી માટે મંજૂરીની જરૂર રહેશે નહીં. કલેક્ટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણપત્ર મેળવી કામ શરૂ કરી શકાશે.