રાજ્યમાં નવજાત શિશુ બાળકોના મોતના આંકડા ચોંકવનારા આવી રહ્યાં છે જેને લઇને સરકાર સામે આક્ષેપો લાગી રહ્યાં છે ત્યાં સરકારના એક મંત્રી પર ગ્રાન્ટ ફાળવવાને લઇને આરોપ લગાવામાં આવ્યો છે. રાજ્યના મંત્રી પર ગ્રાન્ટ પંચાયતના બદલે એજન્સીઓને ફાળવી હોવાનો આરોપ લાગ્યો છે.
સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી ઈશ્વર પરમાર સામે આક્ષેપ
બનાસકાંઠામાં સુઇગામના સરપંચોએ ગ્રાન્ટને લઈ કર્યા આક્ષેપો
રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી ઈશ્વર પરમાર સામે ગ્રાન્ટને લઇ આક્ષેપ કરાયા છે. જેમાં બનાસકાંઠામાં સુઇગામના સરપંચોએ ગ્રાન્ટ ફાળવવાને લઇ આરોપ લગાવ્યાં છે. સુઇગામ તાલુકાની બે કરોડની ગ્રાન્ટ સગેવગે કરી હોવાનો મંત્રી પર આક્ષેપ છે.
સૂઇગામના સરપંચોએ આરોપ લગાવ્યો છે કે ઇશ્વર પરમારે ગ્રાન્ટ પંચાયતના બદલે એજન્સીઓને ફાળવી છે. સુઇગામ તાલુકાની બે કરોડની ગ્રાન્ટ સગેવગે કરી છે. ઇશ્વર પરમારે ગ્રાન્ટમાંથી 1.70 કરોડ અન્યને ફાળવી દીધા છે.
રાજ્યના મંત્રીએ ફક્ત 30 લાખ ગ્રાન્ટ જ સુઇગામ તાલુકાને અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇ ગ્રાન્ટ પરત લાવવા માટે પ્રાંત અધિકારીને આવેદન આપી રજૂઆત કરી છે.